સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

જામજોધપુર પાસે આવેલા પ્રખ્યાત કોટડા બાવિસી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા.

ચાંદીનું છત્તર ,ઘોડિયું,મુકુટ અને દાનપેટીની રોકડ રકમ સહીત 1,21 લાખની મતાની ચોરી :

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર :  જામજોધપુરના પ્રખ્યાત કોટડાબાવીસીમાના મંદિરે તસ્કરો ત્રાટકયા હતાં. બે અજાણ્યાં શખ્શોએ મંદિરમાં પ્રવેશ કરી મદિરમાંથી ચાંદીના છતર નંગ - ૩ આશરે ૨.૨૫૦ કિં.ગ્રા.કિંમત રૂ.૯૦,૦૦૦   ,ચાંદીનું ઘોડિયું ૦.૨૫૦ કિ.ગ્રા. કિંમત રૂ.૧૦,૦૦૦  તેમજ ચાંદીનો મુકુટ વજન આશરે ૦.૫૦૦ કિ.ગ્રા. કિંમત રૂ.૨૦,૦૦૦ તથા દાનપેટીની રોકડ રકમ રૂ.૧૦૦૦  તેમજ એક ધાતુનો હાર મળી કુલ ૧,૨૧ ,૦૦૦  ના મુ્દામાલની ચોરી કરી લઈ ગયેલ છે . આ ચોરી કરતા બને શખ્શો CCTV માં કેદ થયાં હતાં.મદિરના મહંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બંને ઈસમોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

 

(10:42 pm IST)