સોમનાથ શંખ સર્કલથી વીણેશ્વર સુધીની સ્ટ્રીટ લાઇટ બંધ : સોમનાથ આવતા યાત્રિકોને હાલાકી
પ્રભાસ પાટણ : સોમનાથ શંખ સર્કલ થી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા ઉપર શંખ સર્કલથી વીણેશ્વર સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જેથી સોમનાથ આવતા યાત્રિકોને મુશ્કેલી પડે છે. પવિત્ર શ્રાવણનો પ્રારંભ થયો છે. જેથી સોમનાથ મહાદેવનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવવાના છે તેમજ સ્થાનિક લોકો પણ દર્શન કરવા રોજ પગપાળા ચાલીને આવે છે જે સવારની વહેલી આરતીમાં આવતા હોય છે પરંતુ સોમનાથ આવતા રસ્તામાં લાઇટો બંધ હોવાને કારણે ખૂબજ હેરાન થાય છે તેમજ રેલ્વે મારફત પણ લોકો રાત્રીના આવતાં હોય છે તેઓ ને અંધારામાં મુશ્કેલી પડે છે. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક શંખ સર્કલથી વીણેશ્વર સુધીની બંધ લાઇટો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.(તસ્વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)