News of Monday, 1st August 2022
અરવિંદ કેજરીવાલનું પોરબંદર એરપોર્ટ ઉપર ‘આપ'ના આગેવાનો-કાર્યકરો દ્વારા સ્વાગત
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રના મહેમાન બન્યા છે. આજે બપોરે પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થયું હતું. જ્યા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિતનાએ અરવિંદ કેજરીવાલ ને આવકાર્યા હતા. પોરબંદરથી તેઓ મોટર માર્ગે વેરાવળ-સોમનાથ જવા રવાના થયા હતા. જ્યાં વેરાવળ ખાતે બપોરે જાહેરસભા સંબોધશે.
(4:13 pm IST)