સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

પોરબંદરની વિખ્‍યાત હરિરાયજી મહારાજની હવેલીમાં કોરોના સંક્રમણ બાદ હવેલી બંધ કરાઇઃ હવેલીમાં બિરાજમાન ઠાકોરજીની મુર્તિને કુતિયાણાના વડત્રા ગામે હવેલીમાં પધરાવાઇઃ હવેલીના બાવાશ્રી પણ વડત્રા ગામે ઠાકોરજી સાથે ગયા છે

પોરબંદરઃ અહિંની વિખ્‍યાત હરિરાયજી મહારાજની હવેલીના સેવકોને કોરોના થતા હવેલીના પાંચ સેવકો રાજકોટ કોરોનાની સારવાર હેઠળ છે.

હવેલીના સેવકોને કોરોના સંક્રમણ થતા હવેલી આજથી બંધ કરવામાં આવી છે.

હવેલીમાં બિરાજમાન ઠાકોરજી મદનલાલજી શામળાજી, ગોવર્ધન નાથજીની મુર્તિને કુતિયાણા તાલુકાના વાડત્રા ગામમાં હવેલીના બાવાશ્રી સાથે લઇ ગયા છે. જયાં સુધી કોરોનામાંથી મુકિત ન મળે ત્‍યાં સુધી ઠાકોરજી પધરામણી વાડત્રા મુકામેજ રહશે.

(10:59 pm IST)