સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

ભાવનગરમાં કોરોનાથી બેના મોત અને ૪૦ કેસો

ભાવનગર,તા.૧: જિલ્લામા વધુ ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૮૩૮ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ (ઘો) ગામ ખાતે ૨, મહુવા ખાતે ૨, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાનાઙ્ગ જાંબળા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રામપર ગામ ખાતેઙ્ગ ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૧૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૯ એમ કુલ ૩૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી.શહેર ખાતે રહેતા ૨ કોરોના પોઝીટીવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.આમ જિલ્લામા નોંધાયેલા ૨,૮૩૮ કેસ પૈકી હાલ ૫૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૨૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:40 am IST)