સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

સોમનાથમાં રપ૧થી વધુ કલાકારોનું ભવ્ય સન્માન

વેરાવળઃ સોમનાથના સાંનિઘ્યમાં કલા વારસો ર૦ર૧ તેમજ ગુજરાત મ્યુઝીક એસો.દ્રારા ગુજરાતની લોક સંગીત તેમજ સંસ્કૃતીમાં યોગદાનઆપનારા રપ૧થી વધુ કલાકારોનો સન્માન સમારોહ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા ની ઉપસ્થિતીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં  જીગ્નેશ કવીરાજ,હકાદાન ગઢવી,ગીતા રબારી,માયાભાઈ આહીર સહીત કલાકારો ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમ માં પહેલા સોમનાથ દાદાને ઘ્વજા આરોહણ કરાવેલ હતી આ કાર્યક્રમ ની મુખ્ય વિશેષતા એ હતી કે કલા વારસોના આયોજકો દ્રારા દરીયાઈ વિસ્તારના ખારવા સમાજના આગેવાનોને આગવું સ્થાન આપેલ હતું તેની ખારવા સમાજ તેમજ શહેર માં સરાહના થઈ રહેલ છે.(તસ્વીરઃ દિપક કક્કડ : વેરાવળ)

(1:09 pm IST)