સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

મોરબીમાં રવિવારે સદભાવના હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પ.

 મોરબીમાં રવિવારે સદભાવના હોસ્પિટલ દ્વારા જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં જનરલ મેડિસિન નિષ્ણાતો, સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાત, હાડકા અને બાળકોના નિષ્ણાત, ફિઝિયાથેરાપીસ્ટ, દાંતના સર્જન દ્વારા વિનામૂલ્યે દર્દીઓને આરોગ્ય સુવિધા પૂરી પડાશે.

મોરબીની સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા આગામી તા. 4 ડિસેમ્બરને રવિવારે સવારે 9-30 બપોરે 1 દરમિયાન ઓમ.વી.વી.આઈ.એમ.કોલેજ, સરદાર બાગ, શનાળા રોડ મોરબી ખાતે જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જનરલ મેડિસિન નિષ્ણાતો, સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાત, હાડકા અને બાળકોના નિષ્ણાત, ફિઝિયાથેરાપીસ્ટ, દાંતના સર્જન દ્વારા વિનામૂલ્યે દર્દીઓનું યોગ્ય નિદાન ચેકઅપ કરી યોગ્ય સારવાર આપશે. આથી જનરલ ફ્રી નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:32 am IST)