ભાવનગરની કોલેજીયન યુવતીનો પ્રેરણાદાયી નિર્ણય પોતાના લગ્નમાં માનસીક દિવ્યાંગ છાત્ર પાસે જવ - તલ હોમાવડાવ્યા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૩૦ : ભાવનગર માં નંદકુવરબા મહિલા કોલેજ ખાતે એમ.એ. સેમ -૪ માં અભ્યાસ કરતી વિધાર્થીની કુ . કલ્યાણી હરેશભાઈ પરમાર ના લગ્ન તા . ૨૫-૧૧-૨૦૨૨ ને શુક્રવાર રોજ યોજાયા હતા.તેમાં તેણે અંકુર માનસીક દિવ્યાંગ વિધાર્થી પાસે જવ - તલ હોમાવડાવ્યા હતા. નંદકુવરબા મહિલા કોલેજ - દેવરાજનગર દ્વારા દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી ૫ વર્ષ પહેલા કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી વિધાર્થીઓ સાથે કરી હતી. જેમાં શબ્બીર વોરા નામના વિધાર્થીને કુ. કલ્યાણી પરમારે રાખડી બાંધી હતી . પણ કહેવાય છે ને કે લોહીના સંબંધ કરતા પણ લાગણીના સંબંધ વધુ મજબુત હોય છે. કુ. કલ્યાણી પરમારના લગ્ન ગત શુક્રવારે યોજાયા હતા. જેમાં જવ - તલ હોમવા માટે તેણે આ ભાઈને બોલાવી જવતલ હોમાડાવ્યા હતા. કુ. કલ્યાણી પરમારના આ નિર્ણયને કોલેજ પરિવારે વધાવી કુ. કલ્યાણી પરમારને શુભેચ્છા પાઠવી હતી