ઉનાના દરિયાકાંઠે જાફરાબાદના ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો
(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૦ :.. નજીકના ખડા દરિયાકાંઠે ત્રણેક દિવસ પહેલા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવેલ જેની પોલીસે તપાસ કરતા મરનાર યુવાન જાફરાબાદનો હિતેશ ધનજીભાઇ બાંભણીયા (ઉ.૩ર) નો હોવાની ઓળખ મળી છે અને આ યુવાન જાફરાબાદથી ગુમ થઇ ગયેલ હોવાનું ખૂલ્યું છે.
ઉના તાલુકાના ખડા દરિયા કિનારે અજાણ્યા યુવાનની લાશ મૃત હાલતમાં મળી આવી હતી. નવાબંદર મરીન પોલીસે લાશનો કબ્જો લઇ યુવાનની ઓળખ ઉભી કરવા પ્રયત્ન કરતા જાફરાબાદ મરીન પો. સ્ટેશનમાં ગત તા. ર૪ નવેમ્બરના રોજ જાફરાબાદનો હિતેષ ધનજી બાંભણીયા (ઉ.૩ર) ગ્રે કલરનું ટી-શર્ટ, બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલા - કપડે ગુમ થયેલ હોવાની નોંધ હતી તેના ફોટા જાફરાબાદ મરીન પો. સ્ટેશનએ મોકલાવી અને પોલીસ સ્ટાફે તેમના પરિવારને બોલાવી ઓળખ થતા. તેમની પરિવારે લાશને બતાવીને પોસ્ટ મોર્ટમ કરવા જામનગર મોકલી આપેલ છે.