સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

રાજુલામાં રામપરા-ર માં પત્‍નિની હત્‍યા કરનાર પતિની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦ :.. રાજૂલા તાલુકાના રામપરા-ર ગામે વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રા રહે. કોવાયાનાબેન માલુબેનના લગ્ન સગા ફુઇના દિકરા બુધાભાઇ વાઘ સાથે ર૦ વર્ષ પહેલા થયેલ. અને તું ગમતી નથી તેવુ જણાવી મેણા ટોણા મારી તા. ર૮-૧૧-રરના બપોરના ૩ વાગ્‍યે પતિ બુઘાભાઇ એ માલુબેનને માથામાં કુહાડો મારી હત્‍યા કર્યાની વિક્રમભાઇએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. ડી. બી. મજીઠીયા ચલાવી રહ્યા છે.

માલુબેન રૂમમાં હતા એ વખતે કોઇ ઝઘડો થતાં એના પતિ એ તેને કુહાડાનો એક જોરદાર ઘા મારી દેતાં તે પડી ગયા હતા અને મોત નિપજયું હતું. આમ છતાં હત્‍યારા પતિના ભાઇ મુળુભાઇએ ફોન કરી માલુબેનના ભાઇ વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રાને કહ્યું હતું કે માલુબેનને ચકકર આવતા તે પડી ગયા છે અને લાગી જતાં અમો એને સારવાર કરાવવા રાજૂલા જઇએ છીએ. આથી બધા રાજૂલા પહોંચ્‍યા હતાં. એ વખતે માલુબેનના ભાઇ વિક્રમભાઇએ માલુબેનના પગને તપાસતા ઠંડા પડી ગયા હતાં. અને ફરજ પરના ડોકટરે એને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતાં. આ પછી વિક્રમભાઇએ એમના બનેવી બુધાભાઇને કડકાઇથી પૂછયું હતું કે સાચો બનાવ શું છે આથી હૂમલાખોર બુધાભાઇ એ કહયું હતું કે મે એમને (માલુબેન) ને માથામાં કુહાડાનો એક ઘા મારતા ત્‍યાં જ તેનું મોત નિપજયું  હતું.  આથી વિક્રમભાઇએ બુધાભાઇ સામે હત્‍યાનો ગુનો નોંધાવ્‍યો હતો. આ ઘટના અંગે પીપાવાવ મરીન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ધરપકડની કાર્યવાહી હાથ ધર છે. 

(2:39 pm IST)