મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથીએ શાંતિ હવનનું આયોજન કરાયું
મોરબી સહિત સમગ્ર દેશ-દુનિયાને હચમચાવનાર ઝૂલતા પુલની દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્યતીથી નિમિતે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો
મોરબી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે આજે શાંતિ હવન કર્યો હતો અને મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી જે અંગે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ માસિક માસિક પુણ્યતીથીએ આજે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે એ માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. ત્યારે આજે અમે આ શાંતિ હવન થકી તેમને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય કર્યું હતું.