સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

વાકુંનીધારમા સંત મિલન

જુનાગઢ : વાકુંનીધાર ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દશનાર્થે પધારેલ દરમ્યાન મંદિરના મહંત પૂ.રામબાલકદાસબાપુએ તેમને આવકાર્યા હતા અને બન્ને સંતોનુ અદભૂત મિલન થયુ હતું અને જ્ઞાન ગોષ્ઠી પણ કરેલ આ તકે શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જેન્તીભાઇ તેરૈયા અરવિંદભાઇ રવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર જયેશભાઇ દવેએ જણાવ્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(2:26 pm IST)