જુનાગઢમાં વેકસીન કેમ્પ યોજાયો
જુનાગઢઃ પરશુરામ ફાઉન્ડેશન (યુવા પાંખ) જુનાગઢ દ્વારા આલ્ફા સ્કુલ-ર, લક્ષ્મીનગર, જુનાગઢ ખાતે કોવીડ-૧૯ વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મ્યુનિ. કોર્પો.ની આરોગ્ય શાખાના ભાઇ-બહેનોના સહકારથી ૪પ વર્ષથી મોટી ઉંમરના ૩૦૦ જેટલા લાભાર્થીઓએ રસી મુકાવેલ હતી. આ કેમ્પમાં મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય સમીતીના ચેરમેન આરતીબેન જોષી, વોર્ડ નં. ૧૧ના કોર્પો. પલ્લવીબેન ઠાકર, પરશુરામ ફાઉન્ડેશનના શૈલેષભાઇ દવે, કે.ડી.પંડયા, મહેશભાઇ જોષી, હસુભાઇ જોષી, મુકેશભાઇ મહેતા, ગાયત્રીબેન જાની, પુર્ણિમાબેન રાવલ, નિલમબેન ઠાકર, દક્ષાબેન જોષી, ભાવનાબેન પોશીયા, વિનુભાઇ અમીપરા, જી.પી.કાઠી, મિલનભાઇ ભટ્ટ ઉપસ્થિત રહી યુવા પાંખના સભ્યોને શુભેચ્છા પાઠવી આ નિઃશુલ્ક કેમ્પને સફળ બનાવવા પરશુરામ ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ જોષી, પ્રકાશ જાની, વંદીત મહેતા, જયદીપ જોષી, ધાર્મિક ભટ્ટ, પ્રિયાંશુ પુરોહીત, અર્જુન રાવલ, વિજય મહેતા, કશ્યપ દવે, કિસન પંડીત, યશ દવે, દિપ ભટ્ટ, કેતન ભટ્ટ, આકાશ દવે અને હિતેષ પુરોહીતે જહેમત ઉઠાવી હતી.