જામનગર જિલ્લાના E
યોજનાનો લાભ હવે ૫૦% દિવ્યાંગ ધરાવતા તમામ નાગરિકોને મળવાપાત્ર થશે
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨: ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ જામનગર જિલ્લાના મનો દિવ્યાંગ, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ પ્રકરાની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા દિવ્યાંગતાની માત્રા ૭૫% થી ઘટાડીને ૫૦% કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦/- આર્થીક સહાય મળવાપાત્ર થાય છે.આ યોજના માટે બી.પી.એલ. દાખલાની જરૂર નથી તથા આવક મર્યાદાનો પણ કોઈ બાધ નથી. આ સહાયની રકમ ડી.બી.ટી. મારફત સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમા જમા કરવામાં આવશે.આ યોજનાનો લાભ ૫૦% દિવ્યાંગતા ધરાવતા બાળકો/પૂરૂષો/ષાી તમામને મળશે.
જામનગર જિલ્લાના જે કોઈ દિવ્યાંગ લોકોને લાભ મળવાના બાકી હોય તેવા લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-જામનગર, સેવા સદન-૪ ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં.૩૩, રાજકોટ રોડ, વિક્ટોરીયા પુલ પાસે, જામનગર-૩૬૧૦૦૭ ફોન. નં. ૦૨૮૮-૨૫૭૦૩૦૬ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.