News of Monday, 2nd May 2022
મોરબીઃ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨: ગ્રો મોર લેમીનેટ કારખાનાની મજુરની ઓરડીમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા એંજલબેન સીકંદરભાઇ ચૌહાણએ અગમ્ય કારણોસર ᅠગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.તો મૃતક પરિણીતાના લગ્નને ૩ વર્ષનો સમય થયો છે અને સંતાનમાં બાળકો ન હોવાની માહિતી મળી હતી જે મામલે હાલ મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(1:25 pm IST)