સાવરકુંડલાઃ ચુવાળીયા ઠાકોર સમાજમાં શીક્ષણક્ષેત્રે જાગૃતિ લાવવા માટે પૂર્વ નગરપતિ વીપુલભાઈ ઉનાવા દ્વારા પ્રયાસો
(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨: ચુવાળીયા ઠાકોર સમાજ માં શીક્ષણક્ષેત્રે જાગૃતિ લાવવા માટે પૂર્વ નગરપતિ વીપુલભાઈ ઉનાવા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેનાં અનુસંધાનેᅠ સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામની તા.૨૯,૪,૨૦૨૨ ને શુક્રવારે સાંજે મુલાકાત લેતા સાવરકુંડલા નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ઠાકોર સમાજ ના યુવા નેતા શ્રી વીપુલભાઈ ઉનાવા (ઠાકોર સાહેબ), હસુભાઈ ચાવડા (નગરપાલિકા ના પુર્વ દંડક) ,જગદીશ ઠાકોર (નગરપાલિકા ના પુર્વ સભ્ય શ્રી )સાથેᅠ સાવરકુંડલા તાલુકાના ના વંડા ગામના સુવાળીયા ઠાકોર સમાજ ના અગ્રણી શ્રી જયસુખભાઇ જંજવાડીયા ,કરસનભાઈ ચોહાણ , સાવરકુંડલા શહેર ના યુવા નેતા રાહુલ ઉનાવા ,સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ ના ઠાકોર સમાજ ના અગ્રણી શાન્તીભાઇ રંભાતર , રમેશભાઈ પીપળીયા, ફીફાદ ગામ ના ઠાકોર સમાજ ના અગ્રણી અરૂણભાઇ ચાવડા ,પુનાભાઈ દતેવાડીયા,સવજીભાઈ ડાભી ,ફીફાદ ગામ ના સુવાળીયા ઠાકોર સમાજ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા શિક્ષણ ક્ષેત્રે કેમ જાગૃતિ આવે તે માટે ચર્ચા કરવા આવી હતી તે માટે આવનારા સમયમાં સાવરકુંડલા શહેર અને તાલુકા વેલનાથ શિક્ષણ હીત રક્ષક સમિતિ દ્વારા તમામ સુવાળીયા ઠાકોર સમાજ ના લોકો ને રૂબરૂ મુલાકાત માટે સાવરકુંડલા શહેર અને તાલુકા ના દરેક ગામના અને વીસ્તારનાં સુવાળીયા ઠાકોર સમાજ આગેવાનો સાથે ચર્ચા વીચારણા માટે રૂબરૂમાં તમામ આગેવાનોને મળી વેલનાથ શિક્ષણ હીત રક્ષક સમિતિ દ્વારા સમાજ માં શીક્ષણક્ષેત્રે જાગૃતિ લાવવા નાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.