સાવરકુંડલામાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવની ધામધુમથી ઉજવણી
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨: શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલામાં તા.૨૬-૪-૨૨ મંગળવારના રોજ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામા આવેલ છૈ જેમા પૂજય પાદ ગૌસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી(રાજુ બાવાશ્રી )ની આજ્ઞાથી તથા આશીર્વાદથીᅠ તથા ૧૬૪ મનોરથી વૈષ્ણવો ના સહકારથી આ મનોરથ ખુબજ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવેલ જેમા શ્રી મહાપ્રભુજીના દર્શન મંગલા શ્રીંગાર પલના નંદ મહોત્સવ રાજભોગ ના દર્શનનો દરેક વૈષ્ણવે લાભ લઈ ધન્યતા અનુભવેલᅠ ᅠતેમજᅠ ૨૦૦૦ થી ૨૫૦૦ વૈષ્ણવોએ ખૂબ જ પ્રેમથી ભાવથી મહા પ્રસાદ લીધો હતો આવાᅠ અલૌકિક આનંદ ના સમયે સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત ચંદ્રેશભાઇ રવાણી ,મહેશભાઈ જયાંણી, માજી ધારાસભ્ય કાળુભાઈ વીરાણી , કાળુભાઈ લુણસર તેમજ સાવરકુંડલા નાગરિક બેંકના વાઈસᅠ ચેરમેન હિરેનભાઈ સૂચક,અશ્વિનભાઈ સાગર અન્ય મહાનુભવો હાજર રહેલ હતા આ સમગ્ર કાર્યક્રમ વિજયભાઈ વસાણી રાજુભાઈ શિંગાળા હસુભાઈ વડેરા ,અરવિંદભાઈ ખીમાણી,વલ્લભભાઈ રાદડિયા, કાંતિભાઈᅠ પાંચાણી, મુકુંદભાઈ ચંદારાણા તેમજᅠ ᅠ ઉત્સવ કમિટીના દરેકᅠ ભાઈઓએ ખૂબ જ જહેમત ઉઠાવીનેᅠ આનંદ ઉલ્લાસપૂર્વક શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય ઉત્સવની દરેક વૈષ્ણવોએ ખૂબ જ આનંદપૂર્વક ઉજવી લાભ લીધોᅠ ᅠહતો તેમ રાજુભાઈ શિંગાળાની યાદી જણાવે છે.(