સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

ટંકારા ગાયત્રીનગર શાળામાં જ્ઞાન શકિતદિનની ઉજવણી

ટંકારા,તા. ૨ : ગાયત્રીનગર તા. શાળામાં જ્ઞાન શકિતદિનની ઉજવણી કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક ભાગિયા રસિકલાલ આર. દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવો અરવિંદભાઇ દુબરીયા કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત ટંકારા તથા તાલુકા પંચાયત સદસ્ય ટંકારા ચાર્મીબેન ભાવીનભાઇ સેજપાલના પ્રતિનિધી ભાવીનભાઇ સેજપાલ તથા નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી સરપંચ ટંકારા ગ્રામ પંચાયત યુવા ભાજપ મહામંત્રી હસમુખભાઇ દુબરીયા અને મીડીયા કન્વીનર નિલેષભાઇ પટ્ટણી તથા SMC ના પ્રમુખ રતનબેન કિશોરભાઇ કુંઢીયા, શાળાના આચાર્ય ભાગીયા રસિકભાઇ આર, દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવી.

મહાનુભાવો અરવિંદભાઇ દુબરીયા કારોબારી અધ્યક્ષશ્રી તાલુકા પંચાયત ટંકારાનું પુષ્પગુચ્છથી શાળાના આચાર્ય ભાગીયા રસિકભાઇ આર દ્વારા તથા નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી સરપંચશ્રી ટંકારા ગ્રામ પંચાયત નું પટેલ સંગિતાબેન શંકરભાઇ દ્વારા અને તાલુકા પંચાયત સદસ્ય ટંકારા ચાર્મીબેન ભાવીનભાઇ સેજપાલના પ્રતિનિધી ભાવીનભાઇ સેજપાલનું શિક્ષક અશ્વિનભાઇ સેરશીયા, યુવા ભાજપ મહામંત્રી હસમુખભાઇ દુબરીયા અને મીડીયા કન્વીનર નિલેષભાઇ પટ્ટણી એસ.એમ.સી. અધ્યક્ષ રતનબેન કુંઢીયાનું શાળા પરીવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.

મહાત્મા મંદિર ખાતેના રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા નિહાળવાનું હોય મહાનુભાવો તથા ગ્રામજનો, શાળાના શિક્ષકશ્રીઓએ બાયસેગ પ્રસારણ નિહાળવા માટે બાયસેગ રૂમમાં જ લ્હાવો લીધો.ગાયત્રીનગર તા.શાળા ખાતે ઉપસ્થિત મહાનુભાવો શ્રીમતી અરવિંદભાઇ દુબરીયા, નિશાબેન ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું.શાળાના મ.શિ. બોડા હિતેષભાઇ આર. દ્વારા આભારવિધી કરવામાં આવી છેલ્લે સૌરાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા હતા.

(1:24 pm IST)