સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd August 2022

ગોંડલના શિવરાજગઢ ગામે જન્‍મદિવસે જ મેહુલ સાકરીયાનો ફાંસો ખાઇ આપઘાત

કડીયા કામ કરતા મેહુલની એક વર્ષ પુર્વે સગાઇ થઇ હતી : આર્થીક ભીંસના કારણે જીવાદોરી ટુંકાવી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા . ૨ :  ગોંડલ પંથકમાં તાજેતરમાં અપમળત્‍યુ નાં બનાવો વધ્‍યા હોય વીસ દિવસ મા આત્‍મહત્‍યા નવ જેટલી ઘટનાઓ બની  હોવા છતા યમરાજા એ  હજુ પણ સંતોષ માન્‍યો ન હોય તેમ તાલુકાના શિવરાજ ગઢ ગામે યુવકે  પોતાના જન્‍મદિવસે જ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી  વ્‍યાપી જવા પામે હતી

 ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા મેહુલ રમેશભાઈ સાકરીયા ઉ.વ. ૨૬ કોઈ અગમ્‍ય કારણોસર પોતાના જન્‍મદિવસે જ સ્‍મશાન ની સામે આવેલી પોતાની વાડીએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઇ લેતા મળતદેહ ને પીએમ માટે સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો.

 મેહુલના સોમવારે જન્‍મદિવસ હતો. જે અંતિમ બની રહેવા પામ્‍યો  હતો.મેહુલ શાપર વેરાવળ ખાતે કડીયા કામ કરતો હતો. એક વર્ષ પહેલાં જ તેની સગાઈ પણ થઈ હતી. ત્રણ ભાઈ ના પરિવાર માં તેનો બીજો નંબર હતો. બનાવના પગલે સરકારી દવાખાને યુવાનના સગા વ્‍હાલા મિત્ર મંડળ દોડી આવ્‍યા હતા  ઘટના ની તપાસ જમાદાર જે વી વાળા એ હાથ ધરી હતી, પોલીસ ની -ાથમિક તપાસમાં આર્થિક ભિંસના કારણે યુવકે આત્‍મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્‍યું હતું.

(1:19 pm IST)