News of Tuesday, 2nd August 2022
જેતપુરમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વીરચાંપરાજવાળા બાપુની પ્રતિમા સ્થાપનાને ૧૦ વર્ષની ઉજવણી
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર : તીનબતી ચોક ખાતે વીરચાંપરાજવાળા બાપુની પ્રતિમા સ્થાપીત કર્યાને દશ વર્ષ થતા શહેર તાલુકાના કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ઉજવણી કરાઇ હતી.
વીર ચાંપરાજવાળા બાપુની પ્રતિમાને રાજવી દરબાર મહિપાલવાળા સહિત તમામ રાજવી ખરીવાર, જેતાણી ડેલી, વિરાણીડેલી, સમસ્ત રાજવી પરીવારે પુષ્પાંજલી અર્પણ કરેલ સાંજે ૪ કલાકે ભવ્ય શોભાયાત્રા, આયોજન કરાયેલ હતું જે શોભાયાત્રા વીરચાંપરાજની બારીએથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો ઉપર વાજતે-ગાજતે કરી હતી.
રાત્રીના જીમખાના મેદાન ખાતે રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરાયેલ જેમાં ખ્યાતનામ કલાકારો દેવાયતભાઇ ખાવડ, રાજભા ગઢવી, હરેશદાન સુરૂ, શીવરાજભાઇ વાળા સહિતના કલાકારો પોતાની કલા પીરસી હતી.
(1:24 pm IST)