સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

કોરોનાના કારણે વિરપુર પૂ. જલારામ મંદિર ૧ ઓકટોબર સુધી બંધ રહેશેઃ ગાદીપતિ પૂ. રઘુરામબાપાની જાહેરાત

મહામારી પ્રસરતા મુલાકાતીઓ-અતિથિઓ માટે જલીયાણધામ બંધ રાખવા નિર્ણય

રાજકોટ તા. ર :.. કોરોના મહામારીનાં કારણે વિરપુરમાં પૂ.જલારામ મંદિર તા. ૧ ઓકટોબર સુધી બંધ રાખવાની જાહેરાત ગાદીપતિ પૂ. રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીએ કરી છે.

પૂજય શ્રી જલારામબાપા - વીરપુરથી ગાદીપતિ શ્રી રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીની યાદીમાંજણાવ્યું છે કે, વર્તમાન સમયમાં ખૂબ જગંભીર રીતે ચાલી રહેલ કોરોના મહામારી (કોવીડ-૧૯) ના ફેલાવાને ધ્યાનમાં રાખીને જલિયાણધામ વીરપુર તા. ૩૦-૮-ર૦ર૦ થી ૧-૧૦-ર૦ર૦ સુધી મુલાકાતીઓ, અતિથિઓ માટે બંધ રહેશે.

(11:15 am IST)