સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જામકંડોરણાના ખજુરડામાં મનરેગા યોજના અંતર્ગત વૃક્ષારોણ

જામકંડોરણાઃ ખજુરડા ગામે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત મિયાવાકી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના નિયામક જે.કે.પટેલ તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, મામલતદાર આર.જી.લુણાગરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, સરપંચ જમનભાઇ ડેડકીયા, કાનજીભાઇ પરમાર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજરી આપી હતી અને વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું. વૃક્ષારોપણ કરવામા આવ્યુ તે તસ્વીર. (તસ્વીરઃ મનસુખભાઇ સી.બાલધા-જામકંડોરણા)

(11:40 am IST)