સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

સુરેન્દ્રનગરના ડેલામાં દિવાલમાં ગાબડુ

વઢવાણ,તા.૨ : સુરેન્દ્રનગર શહેરના પાળીયાદ વાળા કંદોઈ નાખવામાં આવેલા ડેલા ની અંદર મોટી દીવાલ ધરાશાયી થવાની ભય વચ્ચે દિવાનમાં પડેલું ગાબડું અને દીવાલ નમી જતા આ વિસ્તારના રહેવાસીઓમાં ભય પ્રસરી જવા પામ્યો છે આ ડેલામાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સવલત ન આપવામાં આવતી હોવાનું આ વિસ્તારના ૧૫ જેટલા ઘરના પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ ડેલા ની અંદર કયારે રોડ રસ્તા કે ગટર કે લાઈ ટ ની સુવિધા આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી આ વિસ્તાર ગામમાં હોવા છતાં પણ યાતનાઓ ભોગવી રહ્યો છે ત્યારે ચોમાસામાં સતત વરસાદ વરસવાના કારણે દિવાલ પર ધસી પડે તેવું આને કોઈ માનવ જિંદગી હણાય તે પહેલા તંત્ર આ અંગે પગલાં ભરે તેવી આ ડેલાના ૧૫ મકાનો ના રહેવાસીઓની માંગ ઉઠવા પામેલ છે

(11:45 am IST)