જામનગરમાં ગ્રેઇન માર્કેટ ખાતે ધનવંતરી રથ દ્વારા કોરોના ટેસ્ટનું પરિક્ષણ કરાયું
કામગીરીની સમીક્ષા મુલાકાત લેતા જિલ્લા સમાહર્તા રવિશંકર -કમિશનર સતિષ પટેલ
જામનગર,તા.૨:જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ ધનવંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે, આજરોજ ગ્રેઇન માર્કેટ જામનગર ખાતે ધનવંતરી રથઙ્ગ દ્વારાઙ્ગ ટેસ્ટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કામગીરીની સમીક્ષા અને એક પણ વ્યકિત ટેસ્ટમાં બાકી ન રહી જાય તે હેતુથી જિલ્લા સમાહર્તાશ્રી રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનરશ્રી સતિષ પટેલએ કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી.ઙ્ગ
આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓકિસજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી. આ તકે, ગ્રેઇન માર્કેટના અગ્રણી જીતુભાઇ લાલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.