સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

મોરબી પાટીદાર અગ્રણીના પુત્રના સાદાઇથી લગ્ન

મોરબી : મોરબી માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલાના પુત્ર જયેશકુમાર (પોલીસ ઇન્સ્પેકટર) ના લગ્ન શિક્ષક એવા વિનુભાઈ કાવરની દીકરી હસ્તી સાથે નક્કી કર્યા હતા જોકે પાટીદાર સમાજ અગ્રણીએ પુત્રના જલ આપવાનો પ્રસંગ સાદગીથી ઉજવવાનું નક્કી કર્યું હતું અને માત્ર પારિવારિક સભ્યોની હાજરીમાં માત્ર ૫ રૂ આપીને જલ આપવાનો પ્રસંગ ઉજવાયો હતો સગાઇ અને લગ્ન જેવા પ્રસંગોમાં લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે પાટીદાર સમાજ અગ્રણીએ પુત્રના પ્રસંગને સાદગીથી ઉજવી નવી રાહ ચીંધી છે તેમજ સામાજિક પરિવર્તન માટે અપીલ પણ કરી હતી તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:56 am IST)