સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જેતપુર બોઘાભાઈ સ્થા.જૈન સંઘના આજીવન પ્રમુખ વિનુભાઈ કામાણીની કાલે ઓનલાઈન સ્મરણસભા

રાજકોટઃ જેતપુર બોઘાભાઈ સ્થા.જૈન સંઘના સેવાભાવી આજીવન પ્રમુખ શ્રી વિનુભાઈ કામાણી (ઉ.વ. ૭૬) નું તા.૨૭ના રાજકોટ ખાતે અવસાન થતાં રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ તથા સંપ્રદાય વરિષ્ઠા પૂજય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી આદિ સંત સતીઓજીના સાનિધ્યે ગુણ સ્મરણ સભા ગુરૂવારે તા.૩ના સાંજે ૪ થી ૫ વાગે રાખેલ છે.ધર્માનુરાગી વિનુભાઈ કામાણીએ દાયકાઓ સુધી ચતુર્વિધ સંઘની સરાહનીય સેવા કરેલ.વર્ષોથી જેતપુર સંઘમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતાં. જીવદયા સહિત દરેક ક્ષેત્રે તેઓએ સેવા પ્રદાન કરી છે. સમસ્ત જેતપુર ગામમાં તેઓનું મૂઠી ઉંચેરૂ નામ હતું.

ધાર્મિક કાર્યક્રમોમાં તેઓને સાંભળવા એક લ્હાવો હતો. દુહા - છંદ સાથે શાનદાર અને જોરદાર સાથે જુસ્સાભેર પોતાનું વકતવ્ય આપતાં. પહાડી અને ઘેઘૂર અવાજ... સભા ને મંત્રમુગ્ધ કરી જતો. વિનુભાઈએ પોતાના સંતાનો અને કુટુંબીજનોને પણ ધર્મના સુસંસ્કારોનું સિંચન કરેલું. તેઓ આદર્શ સુશ્રાવક હતાં. સેવાભાવી વિનુભાઈના દેહવિલયથી માત્ર જેતપુર સંઘને જ નહીં પરંતુ સમસ્ત જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે.

(3:35 pm IST)