કોરોના પોઝીટીવ ૩૦૦ ઉપર થયા : દેવભૂમિ જિલ્લામાં ખંભાળીયાના આઠ સહિત નવ પોઝીટીવ
ખંભાળીયા, તા. ર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે પણ કોરોના કહેર અવિરત રહ્યો છે. જેમાં જિલ્લામાં નવ કેસ પોઝીટીવ નોંધાયા હતાં. જેમાં આઠ ખંભાળીયાના છે જયારે એક કલ્યાણપુરમાં નોંધાયો છે.
ખંભાળીયામાં જડેશ્વર રોડ, ધરમપુર ગ્રામ પંચાયત પાસે, હરસિદ્ધિનગર હર્ષદપુર, ધરમપુરમાં ધોરીવાવ શાળાની બાજુમાં, પોલીસ સ્ટેશન ખંભાળીયા, નગર પાલિકા સલાયા તથા ચાર રસ્તા ખંભાળીયામાં કેસ પોઝીટીવ નીકળ્યા છે.
ગઇકાલે નવા આઠ કેસ પોઝીટીવ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં કુલ કેસ પોઝીટીવમાંથી ૩૦૦થી વધુ કેસનો એકલા ખંભાળીયા જ નોંધાયા છે. જોકે ગઇકાલે ભાણવડના ચાર તથા ખંભાળીયાના એક સહિત પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા હતાં.
સાત કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
ખંભાળીયામાં જડેશ્વર રોડ, ગ્રામ પંચાયત ધરમપુર પાસે, ડ્રીમલાઇન શાળા પાસે રામનગર, હરસિદ્ધિનગર, ધોરીવાવ પાસે ધરમપુર તથા ભારવડીયા ગામ તા. કલ્યાણપુર સહિત સાત નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે.