News of Thursday, 2nd December 2021
ઉનાના દેલવાડાના માછીમારનું બોટમાંથી પડી જવાથી મૃત્યુ
ઉના, તા. ૨ :. દેલવાડાના માછીમાર યુવાનનું બોટમાંથી પડી જતા ડૂબી જવાથી મોત થયુ છે.ઉના તાલુકાના દેલવાડા ગામનો યુવાન અનવરભાઈ બેલીમ નામનો યુવાન ઓમ ગંગા નામની બોટમાં માછીમારી કરવા ગયો હતો. જેમા બોટમાંથી અકસ્માતે દરીયામાં પડી જતા તેને બહાર કાઢી દવાખાને લાવતા ડોકટરે ડૂબી જવાથી મોત થયાનું જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:47 pm IST)