News of Friday, 3rd March 2023
કચ્છના વરાડીયા ગામે પત્નીના મોતના વિયોગમાં પતિએ જીવ દીધો
આદિપુરમાં બીમારીથી કંટાળી પ્રૌઢે મોતને વહાલુ કર્યું
(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૩ કચ્છના અબડાસા તા.ના વરાડીયા ગામે ૬૫ વર્ષીય વળદ્ધએ પત્નીના વિયોગમાં પોતાના જીવનનો અંત આણ્યો હતો. વીરાભાઇ ડાહ્યાભાઈ નામના વળદ્ધના પત્ની ૬ મહિના પહેલાં મળત્યુ પામ્યા હતા. પત્નીના મોત બાદ એકલવાયું જીવન જીવતા વીરાભાઇએ કંટાળીને ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી પોતાનો જીવ દઈ દીધો હતો. બીજા બનાવમાં આદિપુરમાં રહેતા ૪૯ વર્ષીય કિશોર રામચંદ્ર ગજરાએ પોતાની શારીરિક બીમારીથી કંટાળી એસિડ ગટગટાવ્યું હતું. જેને પગલે તબિયત લથડતાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. બન્ને બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:33 am IST)