કાલે જામજોધપુરમાં પૂ. ભગવત ચરણદાસજી સ્વામીની સ્મૃતિમાં સન્માન સમારોહ
પૂ. રાધારમણ સ્વામીની અધ્યક્ષતામાં આયોજન
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૩ : જામજોધપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કળપાથી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધી પતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ-સાદજી મહારાજ તેમજ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સંતોના આશીર્વાદથી તેમજ ભાવિક ભક્તોની તન, મન અને ધનથી કરેલી સેવાથી, ગુણાતીત પરંપરાના મહાન સમર્થ સંત અક્ષરધામસ્થ સદ્ગુરુ શાષાી સ્વામી શ્રી ભગવતચરણદાસજી સ્વામીની સ્મળતિમાં તારીખ ૨૯ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી સુધી જામજોધપુરની પાવનધારા પર ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય ગુરૂવંદના મહોત્સવ ઉજવાયો, આ મહોત્સવમાં શહેર અને તાલુકાના ધર્મ પ્રેમી સેવાભાવી ભક્તોએ નિસ્વાર્થ શ્રમસેવા કરી પ્રસંગને દીપાવ્યો જેને લઇ રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં અક્ષરધામસ્થ સદ્દગુરૂ શાષાી શ્રીભગવતચરણદાસજી સ્વામીની છઠ્ઠી પુણ્ય તિથિએ
તારીખ ૫-૩-૨૦૨૩ અને રવિવારે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન સ્વયંસેવક ભાઈ બહેનોના સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો મહોત્સવમાં સેવા કરનાર દરેક સ્વયં સેવક ભાઇઓ/બહેનોએ ઉપસ્થિત રહેવા ગુરુ વંદના મહોત્સવ સમિતિ વતી કોઠારી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામીની યાદીમાં જણાવવામાં આવ્યું છે