News of Saturday, 3rd July 2021
મોરબીમાં આગાસી પરથી પડી જતા યુવાનનું મોત
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બનાવ : યુવાનના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી
મોરબીના લક્ષ્મીનારાયણ હોલ નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતોયુવાન અગાસી પરથી પડી જતા તેને માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનારાયણ હોલ નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા (ઉ.૩૪) રહેણાંક મકાનની અગાસી પરથી પડી જતા તેને માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે તેમજ બનાવની નોંધ મોરબી બી ડીવીઝન પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે
(10:51 pm IST)