સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd July 2021

અકસ્માત વીમા યોજના હેઠળ 10 ખેડૂત પરિવારોને 1-1 લાખના ચેક અર્પણ

મોરબી માર્કેટિંગ યાર્ડની બોર્ડ બેઠક મળી, ત્રણ સમિતિની રચના

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની આજે બોર્ડ બેઠક યોજાઇ હતી.જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ 10 ખેડૂત પરિવારોને 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડની ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી હતીરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂતોના પરિવારોને આર્થિક રીતે સહાયભૂત થવા છેલ્લા કેટલાક સમયથી ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મુકવામાં આવી છે. દરમિયાન આજે મોરબી માર્કેટિંગ યાર્ડની બોર્ડ બેઠકમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 10 ખેડૂતોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 1-1 લાખના ચેક માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડની ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં લાયસન્સ તથા માર્કેટ સબ કમિટીમાં સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા મનહરભાઈ બાવરવાની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ સ્ટાફ સબ કમિટીમાં પ્રમુખ તરીકે પરસોત્તમભાઈ કૈલા અને તકરાર સમિતિમાં પ્રમુખ તરીકે ધ્રુવકુમારસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે.

(10:19 pm IST)