મોરબીમાં રવિવારે આયુર્વેદિક નિદાન-ચિકિત્સા કેમ્પ: મધુરમ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક રોપા વિતરણનું આયોજન.
કેમ્પમાં ડો. કૌશલ વ્યાસ, ડો. શ્રદ્ધા વ્યાસ, ડો. હરદેવસિંહ પરમાર અને વૈધરાજ તળશીભાઈ કાસુન્દ્રા સહિતના ડોકટરો સેવા આપશે
મોરબી : મધુરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. ૦૩ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૦૧ : ૩૦ કલાક સુધી ધન્વન્તરી ભવન, કાયાજી પ્લોટ ૦૩ મોરબી ખાતે આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
જે કેમ્પમાં ડો. કૌશલ વ્યાસ, ડો. શ્રદ્ધા વ્યાસ, ડો. હરદેવસિંહ પરમાર અને વૈધરાજ તળશીભાઈ કાસુન્દ્રા સહિતના ડોકટરો સેવા આપશે કેમ્પનો લાભ લેવા આવનાર લાભાર્થીઓએ કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવાનું રહેશે કેમ્પનો લાભ લેવા મધુરમ ફાઉન્ડેશનના ડો. મધુસુદન પાઠકની યાદીમાં જણાવ્યું છે.
મધુરમ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક રોપા વિતરણ
મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૦૩ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૧૨ કલાક સુધી સુપર માર્કેટ સામે, શનાળા રોડ મોરબી ખાતે નિશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે રોપા વિતરણ કાર્યક્રમનો નગરજનોએ લાભ લેવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.