સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

વાંકાનેરમાં સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ભાજપ અગ્રણીઓના હસ્તે કીટ અર્પણ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩ :.. સેવાસેતુ કાર્યક્રમમાં સરકારશ્રી દ્વારા નિયુકત કરાયેલા ભાજપ અગ્રણીઓના વરદ હસ્તે કીટ, સર્ટીફીકેટ વિગેરે અર્પણ કરવામાં આવેલ. સેવાસેતુ કાર્યક્રમના પ્રારંભ બાદ વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સરકારશ્રી દ્વારા નિયુકત કરાયેલા વાંકાનેર ભાજપ અગ્રણીમાં નગરપાલિકાના સદસ્ય શ્રીમતી રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ, જયશ્રીબેન સુરેલા ઉપરાંત મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા તેમજ અતિથી વિશેષ વાંકાનેર સ્ટેટ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી એ. એચ. શિરેસીયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમનું દિપ પ્રાગટય શ્રી કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબ - જરૂરીયાત મંદ લોકો માટે જાહેર થયેલી વિવિધ સહાયની જાણકારી અને તેનો આસાનીથી લોકો લાભ લઇ શકે. એક જ સ્થળેથી તમામ સુવિધા મળી રહે તે માટે આવા 'સેવાસેતુ' ના કાર્યક્રમો યોજી લોકોને મદદ રૂપ થતી આ સરકારી યોજનાઓનો લાભ લેવા વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણીને સ્ટેટ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.

ત્યારબાદ કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને સહાય કીટ, તેમજ નિયત કરેલા લાભાર્થીઓને જરૂરી સહાય મંચસ્થ અગ્રણીઓના હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ વજુભા ઝાલા, દિપકભાઇ પટેલ, ક્રિપાલસિંહ ઝાલા, કે. ડી. ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, મુળજીભાઇ ગેડીયા, હીરેન ખીરૈયા, ભગીરથસિંહ ઝાલા, મનુભાઇ સારેસા, વિપુલ ભાનુશાળી, રાજભા ઝાલા, મેહુલ ઠાકરાણી, રઘુરાજસિંહ સરવૈયા, પિન્ટુ નિમાવત, અરૂણભાઇ, અમરશીભાઇ મઢવી, ગજેન્દ્ર રાઠોડ, ભરત ઠાકરાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વાંકાનેર શહેરમાં સરકારશ્રીની વિવિધ પ૭ યોજનામાં ૧પ૧પ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જયારે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ લુણસર ગામે યોજાયેલ જેમાં તાલુકા પંચાયત પ્રમુખના પતી ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ મામલતદાર બી. એસ. પટેલ, ભાજપ અગ્રણી કાળુભાઇ કાકરેચા, લુણસરના સરપંચ ભરતભાઇ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા (કોઠારીયા) વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને આ સેવાસેતુમાં ર૮૦૪ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

(11:59 am IST)