કાલાવડ ભાજપ દ્વારા નવા નીરના વધામણા
કાલાવડઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ તેમજ કાાલાવડના પનોતા પુત્ર કેબીનેટ મંત્રી આર.સી.ફળદુના જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા મુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ રોપણ કરવામાં આવ્યું હતું. કાલાવડ શહેરને પાણી પુરૂ પાડતો બાલભંડી ડેમ ઓરફલો થતા ડેમ ખાતે જળપુજન કરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ હસુભાઇ વોરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરીયા, મહામંત્રી મહેશભાઇ સાવલીયા, વિનોદભાઇ રાખોલીયા, જીલ્લા મંત્રી હીનાબેન રાખોલીયા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ભુમીતભાઇ ડોબરીયા, નગર પાલીકા પ્રમુખ અજમલભાઇ ગઢવી, ઉપપ્રમુખ ભુપતભાઇ વિરાણી જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મુર્તજાભાઇ સાદીકોટ, અભિષેક પટવા, વિજયભાઇ ફળદુ, પ્રફુલભાઇ રાખોલીયા, મુકેશભાઇ મહેતા, વલ્લભભાઇ વાગડીયા, રાજુભાઇ વાદી સહીતના આગેવાનો નગરપાલીકા સદસ્યો અને કાર્યક્રોરો ઉપસ્થિત રહયા હતા. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર.