સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૦ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ ડીસ્ચાર્જ

જીલ્લામાં કુલ કેસનો આંક ૧૦૨૧ થયો :૨૧૧ એક્ટીવ કેસ :૭૫૬ દર્દીઓ સ્વસ્થ થયા


મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૦ કેસો નોંધાયા છે તો ૧૨ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી લીધો છે

મોરબી જીલ્લામાં નવા કેસોં મોરબી તાલુકામાં ૧૪ કેસ નોંધાયા છે જેમાં ૦૨ કેસ ગ્રામ્ય અને ૧૨ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદમાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં અને ટંકારામાં ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૦ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે

નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૦૨૧ થયા છે જેમાં ૨૧૧ એક્ટીવ કેસ છે જયારે ૭૫૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

(9:47 pm IST)