બગસરા પાલિકા દ્વારા ભુગર્ભ ગટરની કામગીરીનો પ્રારંભ
પ્રથમ તબકકે પાણી ઉલેચી ગટરો ખાલી કરવાનુ કાર્ય આરંભ્યું
બગસરા તા.૩ : બગસરા શહેરમાં અનેક વિસ્તારમાં બંધ થયેલી ભૂગર્ભ ગટર બાબતે રજૂઆત થતાં પાલિકા તંત્ર દ્વારા યુદ્ઘના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર બગસરા ના ગોકુલપરા, નીલકંઠ નગર, રણુજાધામ, ગાયત્રીનગર, મેદ્યાણીનગર, સહિતની સોસાયટીનીઙ્ગ ભૂગર્ભગટર બ્લોક થઈ જતા અનેક રહીશો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જેને પગલે સદસ્યો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવતા બગસરા નગરપાલિકા દ્વારા બુધવાર સવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કાનો ઉભરાયેલી ગટરમાંથી પાણી ઉલેચી ખાલી ગટરોમાં ઉમેરવામાં આવી રહ્યું છે. જોકે તેનાથી કામ ચલાવ નિકાલ થશે પરંતુ આ વિસ્તારના ભૂગર્ભ ગટરના પ્રશ્નનું કાયમી નિકાલ પણ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે તસ્વીરમાં ભુગર્ભ ગટરમાંથી પાણી બહાર કાઢવા પંપ મુકેલા નજરે પડે છે.