News of Thursday, 3rd September 2020
હળવદના ઘનશ્યામપુર ગામે ટ્રેકટરમાં આગ લાગી
આગ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનો અંદાજ
(દીપક જાની દ્વારા) હળવદ,તા.૩: તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ખેડૂતની વાડીએ પડેલા ટ્રેકટરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રેકટર બળીને ખાખ થઇ ગયું હતું. આ આગ શોટસર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
હળવદ તાલુકાના દ્યનશ્યામપુર ગામે રહેતા મગનભાઈ વેલાભાઇ દલવાડીનું ટ્રેકટર તેઓની વાડીએ પડ્યું હોય ત્યારે કોઈ કારણોસર આ ટ્રેકટરમાં આગ લાગી હતી. અને જોતજોતામાં ટ્રેકટર આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયું હતું. જેથી, ખેડૂતને સાડા ત્રણ લાખની આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આ આગ લાગવાનું કારણ શોટર્સર્કિટ હોવાનું અનુમાન છે.
(11:42 am IST)