સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

મોરબીના રસ્તા સ્ટ્રીટલાઇટ પ્રશ્ને આવેદન

મોરબી :  માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગના મોરબી જીલ્લા અધ્યક્ષ રાજેશભાઈ વિડજાના માર્ગદર્શન હેઠળ આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબીના નાગરિકો દ્યણા સમયથી પોતાના અધિકારોથી વંચિત છે પાયાના અધિકારો જેવા કે રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી જે મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે રોડ રસ્તાની બિસ્માર હાલતથી લોકો હેરાન પરેશાન થયા છે જેથી આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છેઙ્ગતે તસ્વીર.

(11:45 am IST)