સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd October 2022

જામકંડોરણામાં આજે રાત્રે પુષ્‍ટિ રાસોત્‍સવ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૩ : આજે તા. ૩ના રાત્રે ૮:૩૦ કલાકે વૈશ્‍ણવ સમાજ તળાવ પ્‍લોટ જામકંડોરણા ખાતે શ્રી વ્રજવલ્લભ સોશ્‍યલ ગ્રુપના અધ્‍યક્ષ પુ.પા.ગો. ૧૦૮ શ્રી વલ્લરાયજી મહોદયશ્રીની આજ્ઞા તેમજ સાનિધ્‍યમાં અને શ્રી વ્રજવલ્લભ સોશ્‍યલ ગ્રુપ જામકંડોરણાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાના પ્રમુખ સ્‍થાને સૌપ્રથમવાર પુષ્‍ટિ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

સર્વે વૈષ્‍ણવોને અલૌકિક રાસોત્‍સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. 

(10:33 am IST)