ઉનાના કોબ ગામનો ૬ માસથી પેરોલ ઉપર ફરાર કેદી ઝબ્બે
કોડીનાર, તા.૩: નવાબંદર મરીન પો.સ્ટે.ના પોકસો, અપહરણ, બળાત્કાર તથા એટ્રોસીટી ગુન્હાના કામે સજા ભોગવતો અને વચગાળાના જામીન પર જેલમાંથી છુટી છેલ્લા છ માસથી ફરાર થયેલ કેદીને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ, ગીર સોમનાથએ પકડી પાડેલ છે.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, હેડ કોન્સ. શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, નરેન્દ્રભાઇ પટાટ પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સદિપસિંહ ઝણકાટ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. જોધુભા ડાભી, હેડ કોન્સ. ભાવેશભાઇ મોરી વિગેરે સ્ટાફ નવાબંદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. જોધુભા ડાભી, હેડ કોન્સ. ભાવેશભાઇ મોરીએ નવાબંદર મરીન પો.સ્ટે. ફ.૪૧૦/૨૦૨૦ એટ્રો સેસન્સ કેસ નં.૦૬/૨૦૨૦ આઇ.પી.સી.ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), (એન) પોકસો (૪)(૫)(એલ), ૮, ૧૮ એટ્રોસીટી ૩(૨)૫ મુજબના કામે સજા ભોગવતો કેદી માનસિંગભાઇ રામભાઇ ચાવડા રહે.કોબ તા.ઉના વાળો તા.૨૫/૦૫/૨૨ થી દિન-૧૪ ના વચગાળાના જામીન પર મુકત થયેલ અને તા.૦૯/૦૬/રર ના રોજ જુનાગઢ જીલ્લા ખાતે હાજર થવાને બદલે ફરાર હોય જેને તા.૦૧/૧૦/૨૦૨૨ ના રોજ નવાબંદર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.