સુરેન્દ્રનગર થી જસાપર તરફ જતી એસટી બસ બંધ પડતા મુસાફરોને હાલાકી
વઢવાણઃ તેવા સંજોગોમાં આજે વહેલી સવારે સુરેન્દ્રનગર થી જસાપર તરફ જતી એસટી બસ બંધ થઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડ નજીક જ બંધ પડી જવા પામી હતી અને મુસાફરોને સમયસર એસ.ટી ન પહોંચતા અનેક કામો અટવાઇ જવા પામ્યા હતા ત્યારે સાત વાગ્યાના અરસામાં ઉપડતી અને જસાપર તરફ જતી એસટી બસ બંધ થઈ જવા પામી હતી. ત્યારે આ મામલે બસમાં મુસાફરો દ્વારા નીચે ઉતરી અને બસ શરૂ કરવા માટે ધક્કા મારવામાં આવ્યા હતા તે થતાં પણ બસ શરૂ થઈ ન હતી ત્યારે રોડ ઉપર ધક્કા મારતા દ્રશ્યો સર્જાતા ટ્રાફીક જામ પણ થઈ જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર દ્વારા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર ડેપો ના સર્વિસ સ્ટેશન ના અધિકારીઓનો સંપર્ક સાધી અને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને કોર્ડન કરી અને બસને બસ સ્ટેન્ડ ખાતે લાવવામાં આવી હતી. અને જસાપર તરફ જતી એસટી બસ અન્ય બસ મૂકવામાં આવી હતી ત્યારબાદ તમામ પેસેન્જરોને તે બસમાં બેસાડવામાં આવ્યા હતા અને જે ગામ જવાનું હતું તે ગામ પહોંચાડવાનો પ્રયાસ સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એક કલાક આ ફેરો મોડો પડતાં મુસાફરોના અનેક કામો અટવાઇ જવા પામ્યા હતા. (તસવીર, અહેવાલઃ ફઝલ ચૌહાણ)