ખંભાળિયાની યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ
જામખંભાળિયા,તા.૪ : તાલુકાના ભાણખોખરી ગામે રહેતી જશુબેન રણમલભાઈ નંદાણીયા નામની ૨૩ વર્ષની આહીર યુવતી કોઇ કારણોસર છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતી હોય, આ વચ્ચે તેણીએ ગત તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ પોતાના હાથે ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ હેમંતભાઈ ડોસાભાઈ નંદાણીયાએ અહીંની પોલીસને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીમારીથી કંટાળી, ભાણવડમાં પર પ્રાંતીય યુવાને આપઘાત કર્યો
ભાણવડ તાલુકાના હાથલા ગામની સીમમાં એક આસામીની વાડીમાં રહેતા મુળ મધ્ય-દેશના પૂનમજી મરારજી ભિલાલ નામના ૩૫ વર્ષના યુવાનને બીમારી હોય, દવાથી લેવા છતાં તેમને સારું થતું ન હોવાથી તેણે કંટાળીને ઘઉંમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની રેખાબેન પૂનમજી ભીલાલએ ભાણવડ પોલીસને કરી છે.