News of Saturday, 4th February 2023
જૂનાગઢ દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુશ્કીલકુશાની ૧૪૬૭મી મિલાદની ઉજવણી
જસદણ : જૂનાગમાં ઇસ્લામ ધર્મના મહાન સખીદાતા અને જાંબાઝ ઓલિયા હઝરત અલી સાહેબના ૧૪૬૭માં જન્મદિનની ઉજવણી જૂનાગઢ દાઉદી વ્હોરા સમાજએ કરી હતી. આ પવિત્ર દિવસની ઉજવણીમાં દાઉદી વ્હોરા સમાજના પ્રેસીડેન્ટની આગેવાનીમાં વ્હોરા સમાજના તમામ અગ્રણી તથા જમાત કમેટી, અન્જુમને બદરીના સભ્યો અને હોદેદારો અને તમામ સંસ્થાના ભાઇઓ-બહેનો અને બાળકોએ ફટાકડાની આતશબાજી કેકકટિંગ તથા સ્કાઉન્ટ બેન્ડ વગાડી ખુશી વ્યકત કરી હતી.
(11:01 am IST)