શાપર-વેરાવળ ગણેશનગરમાં ભરતભાઇ પરમાર પર કૌશીકનો છરીથી હુમલો
કૌટુંબીક ભાઇ રાજુ પરમારને ‘અહીં શુ કામ આવે છે' કહી હુમલો કર્યો
રાજકોટ,તા. ૪ : શાપર-વેરાવળના ગણેશનગરમાં રહેતા યુવાનને ઘર નજીક રહેતા ત્રણ શખ્સોએ મારમારી છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ શાપર-વેરાવળ ગણેશનગરમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ પરમાર (ઉવ.૩૫) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે તેનો કૌટુંબીક ભાઇ રાજુ કાળાભાઇ પરમાર ઘરે આવતા ગણેશનગરમાં રહેતો કૌશીક પરમાર સહિત ત્રણ શખ્સોએ આવી ‘રાજુ અહીં શુ કામ આવે છે' કહી રાજુ પરમાર સાથે ઝઘડો કરવા લાગતા તેને બચાવવા જતા ભરતભાઇ વચ્ચે પડતા કૌશીક પરમાર સહિત ત્રણ શખ્સોએ તેને મારમારી છાતીના ભાગે છરી ઝીંકી દેતા ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. બાદ ભરતભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે. (