રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગળતિ અભિયાન હાથ ધરાયુ
રાજુલા : રક્તપિતને ઈતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લે-સી ડે નિમિત્તે સ્પર્શ લે-સી અવેરનેસ કેમ્પેઇન હેઠળ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.અલતાફ કુરેશી સાહેબના માર્ગદર્શન હેઠળ એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગળતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જેના ભાગ રૂપે પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને તાલુકા કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવેલ. મહાત્મા ગાંધીની પુણ્યતિથિનાં દિવસે એન્ટી લે-સી ડેની ઉજવણીના ભાગરૂપે રક્તપિત રોગ વિશે જનજાગળતિ લાવવા માટે દરેક ગામમા સ્પર્શ લે-સી અવેરનેસ કેમ્પેઈન હાથ ધરી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. રાજુલા તાલુકાના સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીઓ, તાલુકા અને જીલ્લા પંચાયત સભ્યઓને હોટલ દર્શન ખાતે ટીડીઓ હિતેશ પરમાર દ્વારા યોજાયેલ વર્કશોપમા ડૉ.હિરલ ચાપાનેરી દ્વારા રક્તપિત્ત વિશે સેન્સીટાઈઝ કરી જાગળત કરવામા આવેલ. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાના જણાવ્યા અનુસાર શરીરના કોઈ પણ ભાગમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા અને તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે.જે જંતુજન્ય રોગ છે પરંતુ કોઈ પૂર્વ-જન્મનું પાપ કે શ્રાપ નથી તેમજ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકળતિ-અપંગતા અટકાવી શકાય છે.જેની સારવાર દરેક સરકારી દવાખાનાઓ ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે જે યાદીમા જણાવેલ છે.