સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જુનાગઢ પહોંચતાની સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

બેડ સહિતની સુવિધા વધારી વેઇટીંગ ઝીરો કરવા સુચના : દર્દીઓનાં સગા-સંબંધીઓને મળી-વિગતો મેળવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: જુનાગઢ પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

જુનાગઢ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણી રાજય કક્ષાની કોર કમીટીનાં સભ્યો સાથે સવારે જુનાગઢ આવી પહોંચ્યા હતા. તેઓએ અહિં પહોંચતાની સાથે જ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

સિવીલ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સિવીલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ કોવીડ દર્દીઓનાં સગા-સંબંધીઓને મળ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી શ્રી રૂપાણીની સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, અગ્ર સચિવ જયંતિ રવિ, કલેકટર ડો. સૌરભ પારધી સહિતનાં વહીવટી તંત્રનાં અધિકારીઓ રહ્યા હતા.

સિવીલ ખાતે ડો. સુસીલકુમાર ડો. લાખણોત્રા, ડો. સોલંકીએે કોવીડ દર્દીઓ માટે સારવાર સુવિધા માહિતી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે દર્દીઓનું વેઇટીંગ ઝીરો થાય તે માટે બેડ સહિતની સુવિધા વધારવા સુચના આપી હતી.

(11:51 am IST)