સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 7 લોકોના મોત :નવા 350 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 172 કેસ,જૂનાગઢ તાલુકામાં 21 કેસ, માળીયામાં 38 કેસ,કેશોદમાં 27 કેસ,માણાવદરમાં 19 કેસ, વિસાવદરમાં 18 કેસ, માંગરોળમાં 17 કેસ, વંથલીમાં 14 કેસ, મેંદરડા અને ભેસાણમાં 12 -12 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 7 લોકોના મોત થયા છે આજે કોરોનાના નવા 350 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 350 કેસમાં જૂનાગઢ સિટીમાં 172 કેસ,જૂનાગઢ તાલુકામાં 21 કેસ,  માળીયામાં 38 કેસ,કેશોદમાં 27 કેસ,માણાવદરમાં 19 કેસ, વિસાવદરમાં 18 કેસ, માંગરોળમાં 17 કેસ, વંથલીમાં 14 કેસ, મેંદરડા અને ભેસાણમાં 12 -12 કેસ નોંધાયા છે 

(9:31 pm IST)