વાંકાનેરમાં સરકારી વકીલ સી.એલ.દરજીનો વિદાય સમારંભઃ જજ એસ.કે.પટેલનું સન્માન
(મહંમદ રાઠોડ) વાંકાનેરઃ નામદાર કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા સી.એલ.દરજીની માતર તાલુકામાં બદલી થતા તેઓને વિદાય આપવા માટે નામદાર કોર્ટમાં બાર એસો.ના પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા (અનુકાકા)ના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયેલ. જેમાં નામદાર એડી. જજશ્રી એ.આર.રાણા, સિનીયર સિવિલ જજ શ્રી શર્મા, તેમજ જજશ્રી એસ.કે.પટેલની હાજરીમાં સી.એલ. દરજીનું શાલ ઓઢોડી, ફુલહાર કરી સન્માન કરેલ. આ પ્રસંગે નામદાર જજશ્રી એસ.કે.પટેલનું સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે બાર એસો.ના ઉપપ્રમુખ પ્રિત શાહ, જો.સેક્રેટરી એમ.આર.સોલંકી તથા કમલેશ ચાવડા, સરકારી વકીલ શ્રી આશાબેન પટેલ તથા બાર એસો.ના મોટા ભાગના સભ્યો અને કોર્ટ સ્ટાફ હાજર હતા. આ પ્રસંગે એડવોકેટ એન્ડ નોટરીએ સર્વેનો આભાર માન્યો હતો.