સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

કેશોદ નજીક ગડુ ગામ પાસે અકસ્માતમાં ઘવાયેલા ગંગાભાઇનુ રાજકોટમાં મોત

કરોજ ગામના ગંગાભાઇ કંટોલા વેંચવા જતી વખતે બોલેરો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો

રાજકોટ તા. ૪ : કેશોદ નજીક ગડુ ગામ પાસે આઠ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા માંગરોળના કરોજ ગામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ માંગરોળના કરોજ ગામમાં રહેતા ગંગાભાઇ માલદેભાઇ બાલસ (ઉ.૪૮) ગત તા.રપ/૭ ના રોજ બોલેરોમાં કંટોલા ભરીને વેચવા માટે જતા હતા ત્યારે કેશોદ - વેરાવળ હાઇવે પર ગડુગામ પાસે બોલેરો પલ્ટી ખાઇ જતા તેને સારવાર માટે ચોરવાડ બાદ કેશોદબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ મુકેશભાઇ તથા રાઇટર દેવાંગભાઇએ પ્રાથમીક કાગળો કરી કેશોદ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(12:49 pm IST)